નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે નવી દિલ્હીના કરિયપ્પા મેદાન (Cariappa Ground) ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) રેલીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીની પાઘડીવાળી સ્ટાઈલ ખાસ ચર્ચામાં રહી. જો કે આ પહેલીવાર નથી જ્યારે પીએમની સ્ટાઇલે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય. તાજેતરમાં જ 73માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે તેઓ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (Brahmakamal cap) અને મણિપુરના સ્ટોલ કે ગમછેમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યાં જ પાઘડીનું કનેક્શન પણ પંજાબથી છે.
પીએમઓના જણાવ્યા અનુસાર, આ રેલી વાસ્તવમાં એનસીસી ગણતંત્ર દિવસ શિબિરનું સમાપન છે અને દર વર્ષે 28 જાન્યુઆરીએ યોજાય છે. શુક્રવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રેલીને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ પોતાની આઝાદીનો 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે ત્યારે આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણીનો એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પીએમે કહ્યું, દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જ્યારે કોઈ યુવા દેશ આવી ઐતિહાસિક ઉજવણીનો સાક્ષી બને છે, ત્યારે તેની ઉજવણીમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આ ઉત્સાહ આજે આ મેદાન પર પણ દેખાય છે. આ ભારતની યુવા શક્તિનાં દર્શન છે, જે આપણાં સંકલ્પોને પૂર્ણ કરશે."
આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022 ફરી યોજાશે! PM Modi વાયબ્રન્ટને ખુલ્લુ મુકશે
પીએમે મહિલાઓને એનસીસીમાં સામેલ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, "હવે દેશની દીકરીઓ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. સૈન્યમાં મહિલાઓને મોટી જવાબદારીઓ મળી રહી છે. વાયુસેનામાં દેશની દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. આવી સ્થિતિમાં, એનસીસીમાં વધુને વધુ પુત્રીઓને સમાવવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે, "આજે, NCCમાં રહેલા તમામ યુવક-યુવતીઓ NSSમાં છે, તેમાંના મોટા ભાગના આ સદીમાં જન્મ્યા છે. તમારે જ ભારતને 2047 સુધી લઈ જવાનું છે. એટલા માટે, તમારા પ્રયત્નો, તમારા સંકલ્પો, તે સંકલ્પોની સિદ્ધિ, ભારતની જ સિદ્ધિ હશે, ભારતની જ સફળતા હશે."
આ પણ વાંચો: pm narendra modi in uttarakhand : પીએમ મોદીએ કહ્યું- તેમણે બન્ને હાથોથી ઉત્તરાખંડને લૂટ્યું, અમે વિકાસ લાવ્યાતેમણે કહ્યું હતું કે, "દુનિયાની કોઈ પણ તાકાત એ દેશને રોકી નહીં શકે, જેના યુવાનો પહેલા રાષ્ટ્રવિચાર સાથે આગળ વધવાનું શરૂ કરે છે. આજે, રમતના ક્ષેત્રમાં, ભારતની સફળતા પણ આનું એક ઉત્તમ ઉદાહરણ છે," વડા પ્રધાને ઉમેર્યું હતું કે, યુવાનો સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. વોકલ ફોર લોકલના અભિયાનમાં તમામ યુવાનો ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે. જો ભારતના યુવાનો એક ભારતીયના નિર્માણમાં, એક ભારતીયના પરસેવાના નિર્માણમાં જે કંઈ પણ સંકળાયેલું છે તેનો જ ઉપયોગ કરવા માટે કટિબદ્ધ હોય, તો ભારતનું ભાવિ બદલાઈ શકે છે."
આ પણ વાંચો: PM Modi in Varanasi: પીએમ મોદી બોલ્યા- ગાય અમુક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે
સાથે જ પીએમ મોદીએ પણ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરતા કહ્યું કે તમે સારી રીતે જાણો છો કે, નશો આપણી યુવા પેઢીને કેટલી બરબાદ કરે છે. તો, જે શાળા-કૉલેજમાં એનસીસી-એનએસએસ હોય ત્યાં ડ્રગ્સ કેવી રીતે પહોંચી શકે? એક કેડેટ તરીકે, જાતે ડ્રગ્સથી મુક્ત રહો, તેમજ તમારા કેમ્પસને ડ્રગ-ફ્રી બનાવો.